



મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી વતનપ્રેમ યોજનાની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે , દેશમાં કે ,વિશ્વમાં ક્યાંય પણ વસતા અને ગુજરાતના વતની કોઈ પણ દાતા અવા જે તે ગામની વ્યક્તિના દાન અને રાજ્ય સરકારના અનુદાની ગુજરાતના ગામડાઓમાં વધુ સારી જનહિત કારી સુવિધાઓ ઉભી કરવા દાતાઓને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપશે.
આ વતન પ્રેમ યોજના માં જે વિવિધ કામો નો સમાવેશ કરવામાં આવેલો છે તેમાંઆંગણવાડી મઘ્યાહન ભોજનનું રસોડું શાળા ના ઓરડાઓ અવા સ્માર્ટ ક્લાસ,કોમ્યુનિટી હોલ, પ્રામિક આરોગ્ય કેન્દ્ર,,સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત ગમત માટે અને સાધનો,સી.સી ટી.વી કેમેરા સર્વેલેન્સ સિસ્ટમ,સ્મશાન ગૃહ,વ્યાયામ શાળાનું મકાન, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા ગટર,એસ.ટી.પી વગેરે, તળાવ બ્યુટીફિક્શન,એસ.ટી સ્ટેન્ડ,સોલાર એનર્જી, સ્ટ્રીટ લાઈટ અને પાણીના ટ્યુબવેલ, કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો વગેરે કામો કરી શકાશે.
આ યોજનામાં દાતાઓ પોતાના ગામમાં ૬૦ ટકા કે વધુનું રકમ નું દાન આપીને કામ કરાવી શકશે . આવી રકમ સામે ખૂટતી ૪૦ ટકા રકમનું અનુદાન રાજ્ય સરકાર આપશે. આગામી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં આ યોજના અંતર્ગત ૧૦૦૦ કરોડ રૂપિયાના વિવિધ જનહિત સુવિધા સુખાકારી ના કામો આવા દાતાઓ અને રાજ્ય સરકાર બેય ના સહયોગી હા ધરવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)